Amrutnu Achman part-6
Amrutnu Achman part-6
Couldn't load pickup availability
Weight : 133.0 g
Height : 18 cm
Width : 12 cm
ભગવાન શ્રીસ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ સિદ્ધાંતોને સાકાર કરવા પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ‘ગુરુકુલ’ને માધ્યમ બનાવી અનેક જીવોને સત્સંગના રંગે રંગી ભગવાનમાં જોડ્યા છે. તેમનાં આ સત્કાર્યોની સરિતા પૂજ્યપાદ ગુરુવર્ય મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સંતોના સથવારે ભાવિક ભક્તોના સમર્પણ અને સહકારથી વહાવી રહ્યા છે.
પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામીનું જીવન જ આપણને સદાચારયુક્ત જીવનનો શુભસંદેશ આપે છે. દેશ-વિદેશમાં શિક્ષણ, સંસ્કાર અને અનેકવિધ સેવાઓની સરવાણી વહાવી રહેલ ગુરુકુલ શાખાઓના અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપેરે વહન કરી રહ્યા હોવા છતાં તેઓ અવકાશના સમયમાં મંત્રલેખન અને જીવનઘડતરલક્ષી વિચારોનું સતત આલેખન કરતા રહેતા હોય છે. સાદી, સરળ, પ્રાસાનુપ્રાસ યુક્ત સૂત્રાત્મક શૈલીમાં તેમના વિચારો જીવ સાથે જડાઈ જાય એવા હોય છે. તેઓશ્રીનું જીવન એક આદર્શ સૂત્ર જેવું છે. તેઓ નાના દૃષ્ટાંતો અને સૂત્રો દ્વારા ‘ગાગરમાં સાગર’ની જેમ થોડામાં ઘણું કહી જાય છે.
આજના ધમાલિયા જીવનની વ્યસ્તતામાં ચિત્તમાં ચોટી જાય અને જીવનની દશા અને દિશા પરિવર્તિત કરી નાખે તેવા સૂત્રોનું સંકલન સંસ્થા દ્વારા ‘સૂત્રાવલી’, ‘સત્સંગસાગરનાં મોતી’, ‘આચરણનાં આભૂષણ’ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે. ‘સદ્વિદ્યા’ માસિકમાં તેઓના સૂત્રો ‘અમૃતનું આચમન’ કોલમથી પ્રગટ થાય છે. મુમુક્ષુ વાચકગણના આગ્રહને સંતોષવા અને પોષવા નિશ્ર્ચિત શીર્ષક દ્વારા સંદર્ભરૂપે ઉપયોગી થાય તેવા હેતુથી તેનું પુસ્તક રૂપે પ્રકાશન કરવામાં આવ્યું છે.
પૂ. સ્વામીજીની કલમે લિખિત અને સંકલિત થતા રહેતા ‘અમૃતનું આચમન’નાં આ સૂત્રો છેલ્લાં છ સાત વર્ષથી ‘સદ્વિદ્યા’ માસિકમાં નિયમિત પ્રકાશિત થાય છે, જે મોટા ભાગના વાચક ગ્રાહકો માટે રસનો વિષય બની ગયો છે. આધુનિક મીડિયાના સાહિત્ય તરીકે સંસ્થાના વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ ભક્તજનોને નિયમિત એક સૂત્રનું આચમન કરાવવામાં આવે છે.
અમૃતના આચમનની આ શ્રેણી પુસ્તકના રૂપમાં એ જ એક નામાભિધાન સાથે જ સંકલિત થતી રહે તે માટે અગાઉ પ્રકાશિત થયેલ સૂત્રોના પુસ્તકને ક્રમશ: અમૃતનું આચમન ભાગ - 1 થી 5 સાથે સંકલિત કરીને પ્રકાશિત થયેલ છે. તેવી જ રીતે શેષ સૂત્રોનું સંકલન કરીને અમૃતનું આચમન ભાગ-6 ના રૂપમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમાં સૂત્રોના વિભાગીકરણ સાથે કેટલુંક કાવ્યાત્મક ઉપયોગી સાહિત્ય પણ રજૂ કરેલ છે. આશા છે સૂત્રાત્મક વિચારોનું આ પુસ્તક સત્સંગ સાહિત્યપ્રેમી મુમુક્ષુઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શક બની રહેશે.
આ પુસ્તક પ્રકાશનમાં ‘સદ્વિદ્યા’ના તંત્રી સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી સહતંત્રી શ્રી રમણીકભાઇ રૂપારેલિયા સાહેબ, પાર્ષદ વશરામ ભગત ઉપરાંત પ્રકાશન વિભાગમાં સમર્પિત ભાવે જોડાયેલા સંનિષ્ઠ સેવક શ્રી મનીષભાઈ ચાંગેલા, શ્રી ગોરધનભાઇ સખિયાએ વિભાગ પ્રમાણે તારવણી અને સંકલનની જહેમત ઉઠાવેલ છે. કોમ્પ્યુટર ટાઇપીંગની સેવા શ્રી જયંતીભાઈ ચાંગેલા અને ઉત્સાહી સેવક પીયૂષભાઈ કણસાગરા પેઈજ સેટીંગ કરેલ છે. યજ્ઞેશ પરમારે પેઇજ લેઆઉટ ડિઝાઇન અને કોમ્પ્યુટર ઓપરેટર મહેતા બંધુઓએ પેજ પ્રુફીંગની સેવા કરેલ છે.
આ પુસ્તકનું આર્થિક સેવા સૌજન્ય સાહિત્ય પ્રકાશનમાં સેવા આપતા પ.ભ. શ્રી સખિયા સાહેબના પોલેન્ડ નિવાસી સુપુત્ર ભૂ.વિ. શ્રી રોહિતભાઈ જી. સખિયાએ પોતાના જન્મ દિવસ નિમિત્તે ઈષ્ટદેવ શ્રીહરિની પ્રસન્નતાર્થે સ્વીકારેલ છે.


-
Return & Exchanges*
-
100% Secure Payments
-
Customer Support